Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના સુથારપુરા નજીકના નાળા પરથી પાણી વહેતા લોકોને હાલાકી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાવપુરાથી સુથારપુરાને જોડતા માર્ગ પર ખાડીના નાળા પર પાણી ફરી વળતા થોડાક સમય માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. હાલમાં ચાલુ ચોમાસા દરમિયાન ઠેરઠેર ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુશળધાર વરસાદને લઇને ઝઘડિયા તાલુકાના નદી નાળા પણ છલકાયા છે. તાલુકામાં આવેલી નાની ખાડીઓમાં પાણીનો પ્રવાહ વધી જતા કેટલાક ગામોને જોડતા માર્ગો થોડોક સમય બંધ રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તાલુકાના સુથારપુરા નજીકથી વહેતી ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતા ખાડી ઉપર બનાવેલા પુલ પરથી પાણી વહેતું જોવા મળ્યું હતું. પુલ પર પાણી ફરી વળતા ભાવપુરાથી સુથારપુરાને જોડતા માર્ગ પરનો વાહન વ્યવહાર થોડાક સમય માટે બંધ થયો હતો. વેલૂગામ પંથકમાંથી રાજપારડી તરફ જવા માટે આ માર્ગ અગત્યનો હોવાથી ખાડીમાં આવેલ પુરના કારણે લોકો અટવાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના પ્રાંકડ ગામે હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

કપિલ દેવ, ગોવિંદા અને રવિકિશનને રૂ.8.10 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

ProudOfGujarat

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!