Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મદદનીશ ઇજનેરને ખોટુ બીલ બનાવવાનું દબાણ કરાયું હોવાનો આક્ષેપ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, કારોબારી અધ્યક્ષ રિતેશ વસાવા તેમજ પડવાણીયાના પૂર્વ સરપંચ રાજન વસાવા તરફથી તાલુકાના અધિક મદદનીશ ઇજનેરને પડવાણીયા ગ્રામ પંચાયતના કામનું ડુપ્લિકેટ બિલ બનાવવાની ફરજ પાડવામાં આવી હોવાનો આક્ષેપ કરાતા આ બનાવને લઇને તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આ ઇજનેર દ્વારા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાને આ અંગેની કબુલાત કરતું કબુલાતનામું પણ લખી આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના સંદર્ભે કેટલાક વિડીયો પણ સોશિયલ મિડીયામાં ફરતા થયા હતા. મળતી વિગતો અનુસાર ઇજનેરના કબુલાતનામામાં જણાવાયું હતું કે ઉપરોક્ત હોદ્દેદારો તરફથી પડવાણીયા ગ્રામ પંચાયતના ગટરલાઇનના કામ માટેનું રુ.બે લાખનું ડુપ્લિકેશન ચુકવણું કરવા બિલ લખવાની આ ઇજનેરને ફરજ પાડવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે સદર કામને લગતા બિલનું ચુકવણું અગાઉ કરવામાં આવેલ હોવાનું પણ આ કબુલાતનામામાં જણાવાયું હતું. આ અંગે સોશિયલ મિડીયામાં ફરતા થયેલ કબુલાતનામું તેમજ વિડીયોને લઇને સમગ્ર તાલુકામાં તરહતરહની ચર્ચાઓ ઉઠવા પામી હતી. ઘટનાને લઇને તાલુકા પંચાયત સદસ્ય બાલુભાઈ વસાવા, ધારાસભ્ય છોટુભાઈ વસાવા, પડવાણીયાના સરપંચના પતિ ઉમેશભાઇ વસાવા તેમજ અગ્રણી કનુભાઇ વસાવાના નિવેદન આધારિત વિડીયો સોશિયલ મિડીયામાં ફરતા થયા હતા.

Advertisement

Share

Related posts

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

ભરૂચ-સક્રિય પત્રકાર સંઘ દ્વારા નંદેલાવ ગામ વિસ્તારમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!