Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓએ મોરબી પુલ હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપી.

Share

તાજેતરમાં મોરબી ખાતે થયેલ પુલ હોનારતમાં જાન ગુમાવનાર મૃતકોને ઝઘડિયા તાલુકામાં અગ્રણીઓ દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી. ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતે તાલુકાના સામાજિક આગેવાન રવજીભાઈ વસાવા અને યુવા અગ્રણી દિનેશભાઈ વસાવાના નિવાસસ્થાને મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પૂલ તૂટી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને મૌન રાખી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના બામલ્લા ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇ તેમજ રિતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ઉપરાંત રાજપારડી ખાતે સરપંચ કાલિદાસ વસાવા, ભુપતસિંહ કેસરોલા, જીલ્લા પંચાયત સદસ્ય પદમાબેન વસાવા તેમજ તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં મોરબી હોનારતના મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના ખેરડા ગામે સરગવો તોડવા જતા વિજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

ઝઘડિયા GIDC માં ચાલતા દારૂના જથ્થાના કાર્ટિગ દરમિયાન દરોડા પાડી ભરૂચ ક્રાઇમ બ્રાંચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

મતદાન જાગૃતિ અર્થે ભરૂચમાં માનવ સાંકળ રેલી યોજાય.વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!