Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ઉમલ્લા અને અછાલિયા ખાતે રંગ અવધૂત મહારાજની જન્મજયંતીની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તેમજ અછાલીયા ખાતે રંગ મંદિરમાં રંગ અવધૂત મહારાજની ૧૨૫ મી જન્મ જયંતીની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી. વહેલી સવારે પ્રભાત ફેરી તેમજ મંગલા આરતી બાદ અવધૂત મહારાજની પ્રતિમાને વિવિધ વેશભૂષાથી શણગાર કરી આરતી કરવામાં આવી હતી. દત્ત બાવની પાઠ ભક્તો દ્વારા સમૂહમાં કરવામાં આવ્યા હતા. સમગ્ર રંગ મંદિરમાં અવધૂત મય વાતાવરણ બન્યું હતું. અછાલિયા ગામમાં જ્યાં ખુદ અવધૂત મહારાજ પ્રતિવર્ષ પોતાની હાજરી આપતા એવી રંગ કુટીર ખાતે નરેન્દ્રસિંહ રાવની આગેવાનીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અવધૂત મહારાજને પારણે ઝુલાવી વસ્ત્રો અને પુષ્પાહાર અર્પિત કર્યા હતા. આ પ્રસંગે દત્ત બાવની પાઠ, મહા-આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ પરમારને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ વધારનાર સામે નર્મદા પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

બનાસકાંઠા :ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!