Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝધડીયા પંથકમાં ખાતર લેવા વહેલી સવારથી લાંબી લાઈનો લાગી સામાજીક અંતરનાં ધજાગરા તો માસ્ક વિના કેટલાય લોકો નજરે પડયા.

Share

ભરૂચનાં ઝધડીયા ખાતે યુરિયા ખાતરની તીવ્ર તંગી ઊભી થઇ છે જેના પગલે આદિવાસી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઝધડીયા તાલુકામાં આદિવાસી ખેડૂતોની સંખ્યા વધુ હોવાના પગલે યુરિયા ખાતરની તંગી આદિવાસીઓ માટે ધણી ચિંતાજનક બાબત સાબિત થઈ રહી છે. હાલમાં આદિવાસી વસ્તીનું પ્રભુત્વ જણાવતા નેત્રંગ તાલુકામાં પણ યુરિયા ખાતરની તંગી સર્જાય હતી. ઝધડીયા અને નેત્રંગ તાલુકામાં એવી પરિસ્થિતીનું સર્જન થયું છે કે વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે કતારમાં ઊભા થઈ જાય છે તેમ છતાં ખાતર ન મળતું હોવાની ફરિયાદો ઊભી થઇ છે. આવી પરિસ્થિતીમાં જો ગણતરીનાં દિવસોમાં ખેડૂતોને ખાતર નહીં મળે તો તેમનું બિયારણ નિષ્ફળ જાય અને તેથી ખેડૂતોને આર્થિક નુકસાન થાય તેવી સંભાવના ઊભી થઇ છે. તેથી તંત્ર દ્વારા ગરીબ અને આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેવી લોકમાંગ ઊભી થઇ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા ઝુલુસ નીકળ્યા.

ProudOfGujarat

વડોદરા : હાંડોદ ગામમાં વિકાસના કામોનું પુર્વ ધારાસભ્ય સતીષ પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ઉમરપાડાનાં બરડી ગામે વિજ સબ સ્ટેશનનાં કોપર ચોરીના નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!