Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડીયા તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ગામોમાં નર્મદા નદીનું પૂર ઓસરતા સ્થળાંતરિત પરિવારોની વતન વાપસી.

Share

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઇને નર્મદા ડેમમાં પાણીનો ભરાવો થતાં નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા પુરની પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ઝઘડીયા તાલુકાના કાંઠા વિસ્તારના ઓરપટાર, જુની તરસાલી, જુના ટોઠિદરા, જુના પોરા જેવા કાંઠાના ગામોમાં પુરના પાણી ભરાતા આ ગામોના પુર અસરગ્રસ્ત પરિવારોનું સ્થળાંતર કરાવાયુ હતુ. બાદમાં વરસાદે વિરામ લેતા સરદાર સરોવરમાં પાણીની આવક ઘટતા નદીમાં છોડાતા પાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.તેને લઇને નર્મદામાં પુરના પાણી ઓસરતા હવે આ પુર અસરગ્રસ્ત પરિવારો પોતાના ગામોએ પાછા ફર્યા હતા. ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામો પુર ગ્રસ્ત બનતા આ ગામોના અસરગ્રસ્ત પરિવારોને ભાલોદ, નવી તરસાલી, નવા ટોઠિદરા અને અવિધા ગામોએ ઉભા કરાયેલા રાહત કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો હતો. કાંઠાના ગામોના પુરગ્રસ્ત માણસો અને પાલતુ પશુઓનું સ્થળાંતર કરાવાયુ હતુ.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરતનાં લિંબાયતમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ચાર જેટલા હુમલાખોરો પલાયન થઇ ગયા.

ProudOfGujarat

ટોક્યો પેરાલિમ્પિક: ભારતીય શૂટરો ઉપર સોના-ચાંદીનો વરસાદ: મનિષ નરવાલે ભારતને શૂટિંગમાં અપાવ્યો ગોલ્ડ મેડલ, સિંહરાજે મેળવ્યો સિલ્વર

ProudOfGujarat

અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવ્યા બાદ તબીબ ડો.ઝરીયાબ તેમના ઘરે જતા લોકોએ સ્વાગત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!