Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં ધારોલી ગામે દિપડાએ બે વાછરડીનું મારણ કર્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે દીપડાએ એક ખેડૂતની બે પાલતુ વાછરડીને ફાડી ખાધી હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતા દેવેન્દ્રસિંહ પ્રભાતસિંહ પીલુદરિયા ખેતી સાથે પશુપાલન પણ કરે છે. ગઇકાલે રાત્રે તેમના ઘરના આંગણામાં ઝાડ સાથે બે વાછરડીઓ બાંધી હતી. રાત્રિના સમયે દિપડાએ બાંધેલ બે વાછરડા પર હુમલો કરી તેમનું મોત નિપજાવ્યું હતું. ભોગ બનનાર પશુપાલકે ઝઘડિયા રેંજ ઓફિસ ખાતે જાણવા જોગ ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા લાંબા સમયથી ઝધડીયા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં દિપડા દેખાતા હોવાની વાતો જાણવા મળી છે અને દિપડાઓ ગામમાં આવીને પાલતુ પશુઓ પર હુમલો કરીને તેમનું મારણ કરતા હોવાની ઘટનાઓ પણ તાલુકાના કેટલાય ગામોમાં ભુતકાળમાં બનવા પામી હતી. આ ઘટનાને લઇને ખેડૂત વર્ગમાં ડરની લાગણી ફેલાવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ પરત ફરતું વડોદરાનું પરિવાર કાર સાથે લાપતા.

ProudOfGujarat

ભરૂચના કસક ગરનાળામાં ટ્રક ફસાઈ, વાહન ચાલકો અટવાયાં

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતની પાછળ આવેલ રતન તળાવ મસ્જિદ પાસે કચરાના ઉકરડા : તંત્રના સ્વચ્છ અભિયાનના દ્રશ્યો આવ્યા સામે…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!