Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં ધારોલી ગામે દિપડાએ બે વાછરડીનું મારણ કર્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે દીપડાએ એક ખેડૂતની બે પાલતુ વાછરડીને ફાડી ખાધી હોવાની ઘટના બનવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે રહેતા દેવેન્દ્રસિંહ પ્રભાતસિંહ પીલુદરિયા ખેતી સાથે પશુપાલન પણ કરે છે. ગઇકાલે રાત્રે તેમના ઘરના આંગણામાં ઝાડ સાથે બે વાછરડીઓ બાંધી હતી. રાત્રિના સમયે દિપડાએ બાંધેલ બે વાછરડા પર હુમલો કરી તેમનું મોત નિપજાવ્યું હતું. ભોગ બનનાર પશુપાલકે ઝઘડિયા રેંજ ઓફિસ ખાતે જાણવા જોગ ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે પાછલા લાંબા સમયથી ઝધડીયા તાલુકામાં વિવિધ વિસ્તારોમાં દિપડા દેખાતા હોવાની વાતો જાણવા મળી છે અને દિપડાઓ ગામમાં આવીને પાલતુ પશુઓ પર હુમલો કરીને તેમનું મારણ કરતા હોવાની ઘટનાઓ પણ તાલુકાના કેટલાય ગામોમાં ભુતકાળમાં બનવા પામી હતી. આ ઘટનાને લઇને ખેડૂત વર્ગમાં ડરની લાગણી ફેલાવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આંખોમાં આંસુ…’: અનીત પદ્દાએ ‘સૈયારા’ની સફળતા પર અમૃતસર સ્કૂલના પ્રેમનો આભાર માન્યો

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા મચી દોડધામ.

ProudOfGujarat

હાંસોટના દીગસ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, 12ને ફરાર જાહેર કરાયાં :   રૂપિયા ૪૯.૫૫ લાખનો મુદ્દામાલ કબજે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!