Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં રાણીપુરા ગામે તોફાની કપીરાજ પકડાયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે ત્રણ ચાર દિવસથી તોફાની વાનરે લોકોને હેરાન કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ તોફાની કપીરાજ જતા આવતા લોકો પર હુમલો કરતો હતો. વનવિભાગને આ બાબતે જાણ કરાતા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવા, બીડ ગાર્ડ શકુનાબેન વસાવા તથા ટીમના સભ્યોએ રાણીપુરા પહોંચીને ગામ અગ્રણીઓની મદદથી તોફાની વાનરને પાંજરે પુરવા કવાયત હાથ ધરતા તેમાં સફળતા મળતા આ કપીરાજ પાંજરે પુરાયો હતો. બાદમાં વનવિભાગ દ્વારા તેને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી દેવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

માંગરોળમાં મામલતદાર કચેરી દ્વારા હળપતિ સમાજના દીકરા દીકરીને જાતિનાં દાખલા કાઢી આપવાની ખાસ ઝુંબેશ શરૂ કરાઇ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓગસ્ટ-૨૦૨૦ માં વિવિધ ઓનલાઈન જોબ ફેર યોજાશે

ProudOfGujarat

આંદોલનની ચીમકી બાદ શાહ ગામે બ્રિજ નિર્માણની બાજુમાં ડ્રાઇવર્ઝનનું કામ શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!