Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાનાં કાંટીદરા ગામે ધોરણ ૬ અને ૭ નાં વર્ગો બંધ કરવાની કાર્યવાહીનો વિરોધ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કાંટીદરા ગામના ગ્રામજનોએ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે કાંટીદરા ગામની પ્રાથમિક મિશ્ર શાળામાં હાલ ધોરણ ૧ થી ૭ ના વર્ગો ચાલે છે. પરંતુ સરકારના આદેશ અનુસાર શાળામાં બાળકોની સંખ્યા ઓછી થતાં કાંટીદરા શાળાના ધોરણ ૬ અને ૭ ના વર્ગો બંધ કરી બાજુના ગામમાં મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે, પરંતુ આ નિર્ણયને કારણે બાળકોના શિક્ષણ કાર્યમાં માઠી અસર પડે તેમ છે.

જેવી કે બાળકો ચાલીને ત્રણ કિલોમીટર સુધી અંતર કાપી શકે તેમ નથી. ઉપરાંત આ રસ્તાની આજુબાજુ ખેતરો, વૃક્ષો તેમજ ઝાડી-ઝાંખરા હોવાથી વન્ય પ્રાણીઓ તેમજ ઝેરી જાનવરોનો ભય રહેલો છે. આ ઉપરાંત ભૌગોલિક પરિસ્થિતિ જોતા ચોમાસા દરમિયાન રસ્તાઓ ઉપર પાણીનો ભરાવો થતો હોય છે, જેને કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ બધી પરિસ્થિતિના કારણે બાળકોના જીવનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત કાંટીદરા ગામની શાળામાં ધોરણ ૬ અને ૭ ની સંખ્યા ૧૯ જેટલી છે. સરકારના નિયમ અનુસાર હાલ ધોરણ ૬ અને ૭ માં ૨૦ બાળકોની સંખ્યા હોય તો ધોરણ આઠ ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. વધુમાં ગ્રામજનો દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કાંટીદરા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ ની સંખ્યા ૨૦ કરવા માટે તેઓ પૂરેપૂરો પ્રયત્ન કરશે તેમ જણાવીને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ અને ૭ ના વર્ગો બંધ ન કરવા અને શાળાને ધોરણ ૮ નો વર્ગ આપવા રજૂઆત કરવામા આવી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

વિશ્વ યોગ દિવસની ઉજવણી : ભરૂચના જીએનએફસી મેદાનમાં એક સાથે હજારો લોકો એ યોગાશન કર્યા

ProudOfGujarat

મહેસાણા: પોલીસે વ્યાજખોરની કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!