Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વાઘેશ્વર મંદિરનો પતરાનો શેડ વાવાઝોડામાં ઉડયો.

Share

હાલમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ ઘણા સ્થળોએ તબાહી સર્જી છે, ત્યારે નર્મદા કાંઠા વિસ્તારમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ પ્રાચીન વાઘેશ્વર મહાદેવ મંદિરને પણ વાવાઝોડામાં મોટું નુકસાન થયું છે. ગૌશાળા તથા મંદિર પરિસરમાં ૪૦ થી ૬૦ જેટલા પતરાનો એંગલો અને ચેનલોથી બનાવેલ શેડ વાવાઝોડામાં ઉખડીને દૂર ફેંકાઈ ગયો હતો. ભારે પવનના પગલે ચેનલો અને એંગ્લો સાથે આખો શેડ ઉખડીને મંદિર પરિસરમાં જ ૫૦ ફૂટ જેટલો દૂર ફેંકાઈ ગયો હતો. સદનસીબે મંદિર પરિસરમાં રહેતા ઈસમોને કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ મોટો શેડ વાવાઝોડામાં ઉડી જવાથી મોટુ નુકસાન થયું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા હાંસોટ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે ભોજન રથનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મોટરસાયકલ અને સ્કુટર વચ્ચેના અકસ્માતમાં બંને ચાલકોને ઇજા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા એ તેઓની પુત્રી ને મિઝલ્સ રુબેલા ની રસી મૂકી લોકો માં રસી મુકવા થી ઉભી થયેલ ગેર સમજ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!