Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના અસાથી માલસર વચ્ચેના પુલથી વડોદરા જવાનું અંતર ઘટશે…જાણો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અસા અને વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર વચ્ચે નર્મદા નદી પર બંધાઇ રહેલા પુલને લઇને તાલુકાની જનતા માટે સુંદર સુવિધાનું નિર્માણ થશે. ઝઘડીયા તાલુકામાંથી નર્મદા નદી પસાર થાય છે. હાલ ઝઘડીયા તાલુકાના ભાલોદ અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટીકોરલ ગામ વચ્ચે નર્મદા નદી પર પુલની સુવિધા છે ત્યારે અસા માલસર વચ્ચેના પુલનું નિર્માણ સંપન્ન થશે ત્યારે તાલુકાને નર્મદા નદી પર બીજા પુલની સગવડ મળશે. અસા માલસર વચ્ચેનો પુલ સંપૂર્ણપણે આકાર લેશે ત્યારે ઝઘડીયા સહિત નેત્રંગ તાલુકાની જનતાને ડભોઇ વડોદરા તરફ જવા એક નવો અને ટુંકો રુંટ પ્રાપ્ય થશે. હાલ ઝઘડીયા તાલુકામાંથી ડભોઇ વડોદરા તરફ જવા માટે વાયા રાજપિપળા સેગવા થઇને જવું પડે છે. અસા માલસર વચ્ચેનો પુલ બંધાતા આ પંથકના વાહનો ઉમલ્લાથી અસા માલસર શિનોર થઇને ડાયરેક્ટ સેગવા ચોકડી જઇ શકશે. આ નવા રુંટના કારણે આ પંથકમાંથી ડભોઇ વડોદરા જવા માટે હાલ કરતા પંદર કિલોમીટર જેટલુ અંતર ઓછુ થશે. આ નવા પુલના કારણે નેત્રંગ ઝઘડીયા તાલુકાઓની જનતાને ઉમદા સુવિધા મળતા જનતાના કિંમતી નાણાં અને સમયનો યોગ્ય બચાવ થઇ શકશે. વડોદરા મધ્ય ગુજરાતનું મહત્વનું મહાનગર હોવાથી આ પંથકની જનતાએ અવારનવાર વડોદરા ડભોઇ જવુ પડતુ હોય છે. જે-તે સ્થળના વિકાસ માટે રસ્તાઓની સુવિધા પણ મહત્વપુર્ણ મનાય છે, ત્યારે અસા માલસર વચ્ચેના પુલને લઇને આ પંથકનો સર્વાંગી વિકાસ ઝડપી બનશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 હોસ્પિટલ અને કોરોના વિષયક કામગીરી સંદર્ભે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતીની રચના કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : વિધવા સાથે છેતરપિંડી કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

રોટરી કોમ્યુનિટી કોર્પ્સ, ભરૂચ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!