Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકામાં ઘરફોડ ચોરીના વધતા જતા બનાવોથી જનતા ચિંતિત.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીમોદરા સુકવણા ગામે રૂ. ૧.૪૧ લાખના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ધોળે દિવસે ઘરનું તાળું તોડીને ચોરી થવા પામી છે.

વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના લિમોદરા સુકવણા ગામે રહેતા અનિતાબેન મહેશભાઈ પાટણવાડીયાના સાસુ ગતરોજ કામ ઉપર ગયા હતા. ત્યારબાદ અનિતાબેન તેમના છોકરાઓ સાથે પગુથણ ગામે બાબરીનો કાર્યક્રમ હોવાથી પગુથણ ગામે ગયા હતા. જતી વખતે અનીતાબેને તેમના ઘરને તાળું મારીને તેની ચાવી સામે રહેતાં દિવાળીબેનને આપી હતી. અનિતાબેન તથા ફળીયાના અન્ય લોકો બપોરના ત્રણ વાગ્યે બાબરીનો પ્રસંગ પતાવીને પરત લીમોદરા ગામે આવ્યા હતા. ઘરે આવ્યા બાદ અનીતાબેને તેમના ઘરના આગળના દરવાજાને સ્ટોપર મારેલ જોઇ, અને તાળું તૂટેલી હાલતમાં લટકાવેલું દેખાયુ હતુ.

અનિતાબેને ઘરનો દરવાજો ખોલી અંદર જઇને જોતાં તિજોરીના પડદાં ઢાંકેલા જણાયા હતા, જેથી તેમણે તિજોરી ખોલી અંદર જોતા તિજોરીમાં રાખેલ ડબ્બા અને કીટલીમાં સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મુકેલ હતા તે દેખાયા નહિ તેથી તેની ચોરી થઇ હોવાની ખાતરી થવા પામી હતી. કોઈ ચોર આ દાગીના તેમજ રોકડ રકમ ચોરી ગયા હોવાનુ જણાયુ હતુ. ચોરીની આ ઘટનામાં અનિતાબેને રોકડા રૂપિયા ૨૩,૦૦૦ તેમજ સોના ચાંદીના વિવિધ દાગીના મળીને કુલ રૂ.૧,૪૧,૦૦૦ નો મુદ્દામાલ ગુમાવ્યો હતો. ધોળા દિવસે આટલી મોટી રકમના મુદ્દામાલની ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામી હતી. તસ્કરો દિવસના અજવાળામાં મકાનમાં હાથફેરો કરી ગયા હતા. ચોરીના આ બનાવ બાબતે અનિતાબેને ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગાંધીનગર : મહુન્દ્રા ગામના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસની સુવિધા માટે વલખા

ProudOfGujarat

કરજણના દેથાણ ગામમાં સ્મૃતિ સ્મારક ધામ ખાતે સ્વ. આચાર્ય રતુરામજીની પ્રતિમા અનાવરણ અને પ્રથમ નિર્વાણદિન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : કમુરતા શરૂ થતા લગ્નની શરણાઈનો સુર સાંભળવા મળશે નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!