Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટેના આવાસોનુ ખાત મુહર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ગતરોજ તારીખ ૨૫ મી ના રોજ રાજપારડી ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે આ ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના આવકારને સ્વીકારી રાજપારડી ગામે ભૂમિ પૂજન અને ખાત મુહર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતની રાજપારડી બેઠકના સદસ્ય રતિલાલ ઇશ્વરભાઇ રોહિતના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપારડીના કાર્યકારી સરપંચ પિયુષભાઈ પટેલ, તલાટી શીલાબેન પટેલ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને આવાસ બનાવવા મળતી સરકારી સહાયની માહિતી ઉપસ્થિતોને આપવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભાવનગર: તળાજા,મહુવા અને જેસરમાં અઢીથી ચાર ઈચ વરસાદ.

ProudOfGujarat

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર કોસમડી ગામ નજીક આવેલ જય અંબે સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતમાં 6 થી વધુ લોકોને ઇજા.

ProudOfGujarat

ચેક રિટર્ન અંગેના ત્રણ અલગ અલગ કેસોમાં વડોદરા અદાલતે આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!