Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાનાં મોટાસાંજા ગામે નર્મદા ગૌશાળાના પ્રેમદાસ બાપુની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામની નર્મદા ગૌશાળાના મહંત ભારતીયદાસ બાપુ ગત તા.૧.૧૨.૨૧ ને બુધવારના રોજ અવસાન પામ્યા હતા. શ્રી ગુમાનદેવ રામાનંદ વિતરક મંડળના મહંત શ્રી ભગવાનદાસ ગુરૂ નિત્ય ગોપાલદાસના ભંડારા વિધિ સંવત ૨૦૭૧ કારતક વદ બારસ તા.૧.૧૨.૨૧ ને બુધવારના રોજ સાકેતવાસી થયા હતા. તેમના ભંડારાનું આયોજન તથા તેમના શિષ્ય પ્રેમદાસ બાપુ ગુરુ ભગવાનદાસ ભારતીયબાપુની ચાદર વિધિ શ્રી ગુમાનદેવ રામાનંદ વિતરક મંડળના શ્રી મહંતશ્રીની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી.

આ પ્રસંગે નર્મદા ગૌશાળા ખાતે સંતવાણી ચાદર વિધિ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુમાનદેવ મંડળના સાધુ સંતો મોટાસાંજા, રાણીપુરાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગુમાનદેવ મંદિરના મહંત શ્રી મનમોહન દાસ તથા નર્મદા ગૌશાળાના ટ્રસ્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ લાખાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ- CM રૂપાણીએ વાગરાના સાયખા ખાતે નિર્માણ પામનાર ઇમામી પેપર મિલનું ભૂમિપૂજન કર્યું હતું..

ProudOfGujarat

નવસારીના વેસ્મા ઓવરબ્રિજ પર એક ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, બે વોન્ટેડ

ProudOfGujarat

વલસાડના વાઘલધરા ગામ નજીક લગ્ન કરીને પરત આવતા કારને અકસ્માત :દુલહન સહીત ચારના મોત :બે લોકોને ઇજા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્મામાં કારના બોનેટનો કડુલસો :આનંદનો માતમમાં ફેરવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!