Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના વણાકપોરથી જરસાડ માર્ગ પર દીપડો ફરતો હોવાનો વિડીઓ વાયરલ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં અવારનવાર દિપડો દેખાતો હોવાની ઘટનાઓ બનતી હોય છે. તાલુકાના વણાકપોરથી જરસાડ ગામ વચ્ચેના માર્ગ પર રાત્રીના સમયે દિપડો જાહેરમાં ફરતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સોસિયલ મિડીયા પર મુક્તપણે લટાર મારતા દિપડાનો વિડીઓ વાયરલ થયો હતો. આને લઇને આ વિસ્તારના ગામોએ ભયનો માહોલ છવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારની સીમમાં તેમજ ઘણીવાર માનવવસ્તી નજીક જાહેરમાં દિપડા દેખાતા હોવાની ઘટનાઓ બનવા પામે છે. ઉપરાંત ડુંગર વિસ્તારમાં પણ અવારનવાર દીપડાઓ જાહેરમાં ફરતા નજરે પડતા હોય છે. ભુતકાળમાં દિપડાઓ દ્વારા ઘણા પાલતુ પશુઓનું મારણ કરાયુ હોવાના બનાવો પણ બન્યા હતા. આને લઇને ખેડૂતો અને ખેત મજુરોમાં ચિંતા ફેલાવા પામી છે. ઝઘડીયા તાલુકામાં શેરડીના ખેતરો દિપડાઓ માટે આશ્રયસ્થાનો મનાય છે. શેરડી કાપણી દરમિયાન દિપડાઓ શેરડીના ખેતરોમાંથી બહાર નીકળે છે અને ખોરાકની શોધમાં સીમ ઉપરાંત માનવ વસ્તીમાં પણ આવી ચઢે છે. એક અંદાજ મુજબ તાલુકામાં પરિવાર સાથે રહેતા દિપડાઓની કુલ સંખ્યા ૧૮ થી ૨૦ જેટલી હોવાનું મનાય છે. જોકે હાલમાં જાહેર માર્ગ પર દિપડો ફરતો હોવાનો વિડીઓ વાયરલ થતાં આ પંથકની જનતામાં ભયનો માહોલ છવાયો છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

રાજપીપળા કોર્ટ માં વકીલોએ લાલ પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કર્યા.

ProudOfGujarat

સેવા એજ પરમો ધર્મ: મહામારીમાં સિવિલ હોસ્પિટલની નિસ્વાર્થ સેવાભાવના પ્રતિબિંબ

ProudOfGujarat

માંગરોળ તાલુકા વાંકલ નજીક આવેલો પ્રવાસન કેન્દ્ર બણભા ડુંગરને અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!