Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ઉમલ્લા ગામે સરસ્વતી શીશુ વિદ્યામંદિર ખાતે માતૃપિતૃ પુજન દિનની કરાઇ ઉજવણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી વિદ્યામંદિર શાળામાં માતૃપિતૃ પુજન દિવસ મનાવવામાં આવ્યો હતો. શ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યાએ આમંત્રિતોને આવકાર્યા હતા અને તેમના પ્રસંગોચિત વકતવ્યમાં માતા-પિતા પુજન દિવસનો હેતુ વિસ્તારથી સમજાવ્યો હતો. અંજનાબેન પંડ્યાએ આજના દિવસે બાળકો એ શં શું કરવુ જોઇએ તેની સમજ આપી હતી. બાળકને જન્મ આપનાર માતાપિતાના સહારાથી બાળક પાપા પગલીથી શરુ કરીને જીવનમાં આગળ વધે છે. બાળકના જીવન ઘડતરમાં માતાપિતાનું યોગદાન હોય છે. બાળક પર માતાપિતાના અગણ્ય ઉપકારો હોય છે, ત્યારે બાળકની પણ ફરજ બની રહે છેકે માતાપિતાના ઉપકાર જીવનભર યાદ રાખીને તેમનું સન્માન જાળવે. તેમજ આ પ્રસંગે બાળકોએ માતા પિતાને માન આપીને તેમના આશિર્વાદ મેળવવા જોઇએ એમ સમજ આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ તેમજ તેમના વાલિઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં ઉમરપાડા તાલુકાનાં વાડીગામે 800 જેટલા શ્રમિકોને રોજગારીનો લાભ મળ્યો.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પોલીયો રવિવાર નિમિત્તે માહિતી આપવામાં આવી હતી…

ProudOfGujarat

અંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવા શરૂ કરાઈ, સાંસદ અને ડ્રાઇવર-કંડક્ટરનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!