Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના ખેડૂતોએ પગદંડી રસ્તો, રેતી ખનન બંધ કરાવવાનો મુદ્દો મુખ્યમંત્રીના દરબાર સુધી પહોંચાડયો…

Share

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી લઈ નાના વાસણા સુધીના નર્મદા કિનારાના પટમાંથી ખૂબ મોટા પાયે રેતીખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે. ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે પણ રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા ખેતરોના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની મંજૂરી મેળવ્યા વગર, ખેતીની જમીનને તથા પાકને નુકસાન થાય તે રીતે ઉભા ખેતરોમાં રસ્તાઓ બનાવી માફિયાગીરી કરી રહ્યા છે. આ બાબતે ગામના કેટલાક ખેડૂતો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી મહેસુલ મંત્રી, પંચાયત મંત્રીને તેમના આઠ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર આપી રજૂઆત રૂબરૂ મળી કરી છે.

લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગેરકાયદેસર રેતી ખનન રોયલ્ટી વગર રાત દિવસ ૨૪ કલાક રીતે ખનન બંધ કરાવવા તથા લીઝના બ્લોક આવેલ નથી તેવી જગ્યાએ પણ રેતી ખનન થાય છે તે બંધ કરાવવા રજુઆત ‌કરી‌ છે. આઠ મુદ્દાઓની રજૂઆત કરી તેમણે મુખ્યમંત્રીને કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે અત્યારે રેતી ખનન રાત દિવસ ચાલુ છે ગ્રામજનોના તથા તેમના કુટુંબ માટે જોખમકારક હોય તેની તપાસ કરી પગલાં ભરવા વિનંતી કરી હતી. રેતી ભરેલા વાહનો ૨૪ કલાક અવર-જવર કરતા હોય ખેડૂતોને ખેતરમાં જવા આવવા મુશ્કેલ હોય તેથી માથાફરેલ વાહન ચાલકોને ગ્રામજનો કહે છે તમે વ્યવસ્થિત ગાડી ચલાવો તો ટ્રક ચાલકો કહે છે કે તમારી પર ગાડી ચઢાવી દઇશું એમ ધમકી આપે છે.

હારૂન પટેલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- આરોગ્ય સાથે છેતરપિંડી કરતા ખાણીપીણીના ગલ્લા ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ ક્યારે ચેકિંગ હાથ ધરશે…??

ProudOfGujarat

– ભરૂચ લોકસભા બેઠક માટે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીએ પેજ પ્રમુખો, કોર કમિટી અને સંચાલન સમિતિ સાથે ચૂંટણી બેઠક યોજી

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!