Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ગુમાનપુરા ગામે જમવાનું બનાવવાની વાતે પતિએ પત્નીને કુહાડી મારી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનપુરા ગામે એક મહિલા પર તેના પતિએ જમવાનું બનાવવાની વાતે ઝઘડો કરી કુહાડી મારતા મહિલા તેમજ તેની પુત્રીને ઇજાઓ થઇ હતી.

ઝઘડીયા પોલીસના જણાવ્યા મુજબ તા.૧૮ મીના રોજ ગુમાનપુરા ગામની ચંપાબેન જયંતીભાઇ વસાવા નામની મહિલા તેના ઘરે રાતના આઠેક વાગ્યાના સમયે જમવાનું બનાવતી હતી, તે દરમિયાન તેના પતિ જયંતીભાઇ છનાભાઇ વસાવાએ ત્યાં આવીને જમવાનું બનાવ્યુ કે કેમ તે બાબતે પુછ્યું હતુ. ત્યારે મહિલાએ શાક બની ગયું છે અને ખીચડી બનાવું છુ, એમ જણાવતા ઉશ્કેરાયેલા જયંતીભાઇએ જમવાનું કેમ નથી બનાવ્યું, એમ કહીને પત્નિને ગાળો દઇને માર માર્યો હતો. ઉપરાંત નજીકમાંથી કુહાડી લઇ આવીને તેને માથા પર કપાળના ભાગે મારી હતી. ચંપાબેનની ૧૫ વર્ષીય પુત્રી પ્રિયંકા છોડાવવા વચ્ચે પડતા તેને પણ માથામાં કપાળના ઉપરના ભાગે મારતા ચામડી ફાટી જઇને લોહી નીકળ્યુ હતું. આ ઘટના બાબતે ચંપાબેન વસાવાની ફરિયાદ મુજબ ઝઘડીયા પોલીસે જયંતીભાઇ છનાભાઇ વસાવા રહે.ગુમાનપુરા તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા માસ્ક ન પહેરનારાઓને ફૂલ આપી માસ્ક પહેરવા કરાયો અનુરોધ.

ProudOfGujarat

ભરૂચના પાંજરાપોળ પાસે ઇલેક્ટ્રિક મોપેડ સળગી ઉઠતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!