Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઇ હતી.

Share

ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાના ૭૮૭ માં ઉર્સની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગઈકાલે દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઇ હતી.
તારીખ ૬ ના રોજ પરંપરાગત રીતે સંદલ શરીફ રતનપુરથી ચાલતા નીકળી બાવાગોર દરગાહ શરીફ પર ચડાવાય છે. ત્યારબાદ સંદલ શરીફની રસમ અદા કરવામાં આવે છે. જે આ વર્ષે સંદલ શરીફને જમાલ બાવા બરોડાવાળાના હસ્તે દરગાહ શરીફ પર ચઢાવામા આવ્યું હતું.

જેમાં સૌકત અલી બાપુ રતનપુર વારા વગેરે સૈયદ સાદાતો સંદલ શરીફમાં હાજર રહ્યા હતા અને દેશમાં અમન અને શાંતિ બની રહે તે માટે દુઆ ગુજારવામાં આવી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ મુબારક 3 દિવસ ઉજવામાં આવશે જેમાં આજે સાંજે નાત શરીફનો પોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં સબ્બીર બરકાતી અને બીજા દિવસે કવ્વાલીનો પોગ્રામ રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રસિઘ્ધ હજરત બાવગોરિશાની દરગાહ પર હજારોની સંખ્યામાં હિંદુ – મુસ્લિમ સમુદાયના લોકો નિયમિત હાજરી આપી કોમી એકતાના દર્શન કરાવે છે. પરંપરાગત રીતે વર્ષોથી દરગાહ પર નિયમિત હાજરી આપી ધન્યતા અનુભવે છે.

Advertisement

Share

Related posts

૯ આઇએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયાઃ ૯ ઓફિસરોની નિવૃતિ

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાનાં શિક્ષિકાનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

શું રેશનકાર્ડ ધરાવતા અને ન ધરાવતા દરેકને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે ? જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!