Proud of Gujarat
World

પાકિસ્તાનના આર્મી ચીફની ખોખલી ધમકી, હુમલો થયો તો ભારત સાથે યુદ્ધ માટે તૈયાર

Share

પાકિસ્તાનના નવા નિયુક્ત સેના પ્રમુખ (COAS) જનરલ સૈયદ અસીમ મુનીરે શનિવારે કહ્યું હતું કે જો તેમના દેશ પર હુમલો થશે, તો પાકિસ્તાન તેની માતૃભૂમિની રક્ષા કરશે અને દુશ્મનો સામે પણ લડશે. મુનીરે શનિવારે રાખીચિકરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી)ની મુલાકાત દરમિયાન કહ્યું, ‘હું સ્પષ્ટ કરી દઉં કે, પાકિસ્તાનના સશસ્ત્ર દળો હંમેશા તૈયાર છે, માત્ર અમારી માતૃભૂમિના દરેક ઇંચની રક્ષા માટે જ નહીં પરંતુ દુશ્મનો સાથે લડવા માટે પણ.’

જનરલ અસીમ મુનીરે ધમકી આપી, ‘પાકિસ્તાની સેના તેની જમીનના એક-એક ઈંચની રક્ષા કરશે. જો અમારા પર યુદ્ધ થોપવામાં આવશે તો અમે લડવા તૈયાર છીએ.’ મુનીરે એલઓસી પર પાકિસ્તાની સેનાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. મુનીરે કહ્યું કે તાજેતરમાં ગિલગિટ બાલ્ટિસ્તાન અને જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વ તરફથી બેજવાબદાર નિવેદનો આવ્યા છે. જનરલ મુનીરે નવેમ્બર 2022માં જનરલ કમર જાવેદ બાજવાનું સ્થાન લીધું ત્રણ વર્ષની સેવા પછી નિવૃત્ત થયા.

Advertisement

પાક સેનાના વડાએ કહ્યું કે, ‘કોઈપણ ગેરસમજના પરિણામે કરવામાં આવેલ કોઈપણ દુ:સાહસનો હંમેશા અમારા સશસ્ત્ર દળોની સંપૂર્ણ શક્તિ સાથે સામનો કરવામાં આવશે.’ જનરલ મુનીરનું આ નિવેદન ભારતીય સેના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન બાદ આવ્યું છે. વાસ્તવમાં, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પરત લેવાના આદેશો પર અમલ કરવા માટે તૈયાર છે.

ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પાછું લેવા તૈયાર છે

જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારતીય સેનાનો સવાલ છે, તે ભારત સરકાર દ્વારા આપવામાં કોઈપણ આદેશનું પાલન કરશે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પાછું લેવા માટે તૈયાર છે. રક્ષામંત્રીના પીઓકે પાછું લેવાના નિવેદન પર, ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, “જ્યારે પણ આવા આદેશ આપવામાં આવશે, અમે હંમેશા તેના માટે તૈયાર રહીશું.”

જે બાદ પાક આર્મી ચીફે કહ્યું કે ભારત તેની નાપાક મનસૂબાઓ ક્યારેય પૂર્ણ કરી શકશે નહીં. વિશ્વએ ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ અને યુએનના ઠરાવ મુજબ કાશ્મીરના લોકોને જે વચન આપવામાં આવ્યું છે તે પૂર્ણ કરવું જોઈએ.


Share

Related posts

આજરોજ વિશ્વ મજુર દિનની ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

मिका सिंह, गुरु रंधावा, अपारशक्ति खुराना और रमित संधू भारत को नंबर वन बनाने के लिए भूषण कुमार के समर्थन में आये आगे!

ProudOfGujarat

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!