Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસમાં ફરિયાદ કેમ કરી કહી દંપતિ-માતા પર પરિવારનો હુમલો : કરમાડના પરિવારને મનુબર ગામ પાસે રસ્તામાં રોકી માર માર્યો

Share

 

ભરૂચ તાલુકામાં આવેલાં કરમાડ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં હમઝા ઈકબાલ ભામ દહેગામ ચોકડી પાસે દુકાન ધરાવે છે. તેઓ ગઈકાલે સાંજે તેમની દુકાને હતાં. તે વેળાં તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે, તેમના ઘર પાસે રહેતી નજમા તેમજ તેની સાસુએ તેમની સાથે ઝઘડો કર્યો છે.જેથી તેઓ તુરંત ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં તેમને માલુમ પડયું હતું કે, નજમા અને તેની સાસુએ તેમની પત્ની તથા માતા સાથે ઝઘડો કરી તેને ઢીકાપાટુંનો માર માર્યો હતો. જેના પગલે તેઓ તેમને બાઈક પર બેસાડી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે ગયાં હતાં. જજ્યાંથી પરત તેઓ ઘરે જઈ રહ્યાં હતાં.

Advertisement

તે વેળાં ઈરબાઝ તેના પિતા ઈરફાન નવસારીવાળા તેમજ મહેમુદા તેમની કારમાં સામેથી આવતાં હોઈ તેઓ બન્ને એકબીજાને જોઈને મનુબર ગામે નહેર પાસે ચારરસ્તા નજીક ઉભા થઈ ગયાં હતાં. અરસામાં ઈબાઝ તેમજ તેના પિતા ઈરફાન નવસારીવાળા સહિતનાઓએ તેમને મારમારવા લાગ્યાં હતાં. અરસામાં મનુબર ગામના કેટલાંક લોકોએ દોડીઆવી તેમને છોડાવ્યાં હતાં. ઈજાગ્રસ્તને સારાવરામટો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ચાણોદ-કેવડિયા રેલ્વે માટે જમીન સંપાદન રદ્દ કરવા ગરૂડેશ્વર અને તિલકવાડા ખેડૂત સમાજે વિરોધ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તાર ની પાછળ સૂકા કચરામાં લાગી આગ….

ProudOfGujarat

વડોદરા : આમોદરના સરકારી આયુર્વેદિક દવાખાનામાં દર્દીઓનાં પગના થાપાના શીરના ઘસારા/ સુકારાની થઈ રહી છે સારવાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!