ભરૂચ તાલુકામાં આવેલાં કરમાડ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં હમઝા ઈકબાલ ભામ દહેગામ ચોકડી પાસે દુકાન ધરાવે છે. તેઓ ગઈકાલે સાંજે તેમની દુકાને હતાં. તે વેળાં તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે, તેમના ઘર પાસે રહેતી નજમા તેમજ તેની સાસુએ તેમની સાથે ઝઘડો કર્યો છે.જેથી તેઓ તુરંત ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં તેમને માલુમ પડયું હતું કે, નજમા અને તેની સાસુએ તેમની પત્ની તથા માતા સાથે ઝઘડો કરી તેને ઢીકાપાટુંનો માર માર્યો હતો. જેના પગલે તેઓ તેમને બાઈક પર બેસાડી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે ગયાં હતાં. જજ્યાંથી પરત તેઓ ઘરે જઈ રહ્યાં હતાં.
તે વેળાં ઈરબાઝ તેના પિતા ઈરફાન નવસારીવાળા તેમજ મહેમુદા તેમની કારમાં સામેથી આવતાં હોઈ તેઓ બન્ને એકબીજાને જોઈને મનુબર ગામે નહેર પાસે ચારરસ્તા નજીક ઉભા થઈ ગયાં હતાં. અરસામાં ઈબાઝ તેમજ તેના પિતા ઈરફાન નવસારીવાળા સહિતનાઓએ તેમને મારમારવા લાગ્યાં હતાં. અરસામાં મનુબર ગામના કેટલાંક લોકોએ દોડીઆવી તેમને છોડાવ્યાં હતાં. ઈજાગ્રસ્તને સારાવરામટો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
