સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકા ના સાધના, આરાધના અને ઉપાસના ના પાવન પર્વ ની ઉજવણી જરુરીયાત મંદ અને ગરીબ દિકરીઓ કરી શકે તે માટે સમાજ ની સેવાભાવી બહેનો ના અનુદાન થી ચણિયાચોળી અને આભૂષણો બહેનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા અને વાલિયા નજીક આવેલા શ્રી જય માતાજી આશ્રમશાળા ની દોદવાડા,સીલુડી ની આદિવાસી બાળકીઓને ચણીયા ચોળી અને આભૂષણો આપવામાં આવ્યા. આ પ્રસંગે શ્રી જય માતાજી આશ્રમશાળા બાળકોએ મહેમાનોનાં સ્વાગત માટે ખૂબજ સુંદર કૃતિઓ રજૂ કરી અને બધાના મનમોહી લીધા હતા. જ્યારે ઝઘડિયામાં વંદનાબેન ના સંપર્ક થી સેવાવસ્તી ની મોટી બહેનો ને ચણીયા ચોળી અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું.સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ નુ માનવું છે કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો નુ મહત્વ ખૂબ જ છે, આવા ઉત્સવોને આપને બીજા કોઇપણ જરૂરીયાતમંદ અને ગરીબ વ્યક્તિને મદદરૂપ થઇ ઉજવવામાં આવે તો સમાજ માં બધાં જ લોકો આનંદ અને ઉલ્લાસ ની સાથે તહેવાર માનવી શકે. આ કાર્યક્રમમાં સંસ્થાના શ્રી પ્રકાશચંદ્ર પટેલ, શિલ્પાબેન શાહ, કૌશિકાબેન બારિયા અને લક્ષ્મીબે.ન બગડા હાજર રહી બાળકો ના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આર્ધ્ય શક્તિ માં અંબિકાના પર્વની ઉજવણી જરૂરિયાત દીકરીઓને ચણિયાચોળી અને આભૂષણો આપીને કરાઇ.
Advertisement