Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના નબીપુર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે કરૂણ મોત નિપજયુ.

Share

ભરુચના નબીપુર રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે એક અજાણ્યા યુવાનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તારીખ ૧૯ મી જાન્યુઆરીના રોજ સાંજે પાંચ કલાકે નબીપુર રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી ટ્રેન નંબર ૧૬૫૩૩ જોધપુર – બેંગ્લોર ટ્રેનની અડફેટે એક અજાણ્યો યુવાન ઉ. વ. ૩૫ આવી જતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થતા યુવક વિકૃત હાલતમાં કપાઇ જવા પામ્યો હતો. મૃતક યવકે ભુરા રંગનું સફેદ લીટીવાળુ શર્ટ તથા કાળા રંગનું જાકીટ પહેર્યું છે. ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સુખરામ ભાઈ રાજુભાઈએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના વાલીવારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં કોરોના આવ્યો વેન્ટિલેટર પર, ૯ માંથી ૭ તાલુકા કોરોના મુક્ત બનતા તંત્ર અને શહેરીજનો માટે રાહતના સમાચાર..!

ProudOfGujarat

નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ખીલ્યા.

ProudOfGujarat

વાગરા: આગામી બકરી ઈદના પર્વને લઈ પોલીસ સબ ઈન્સ્પેકટર અનિતાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને હિન્દુ-મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!