Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પ્રતિમા મુકવા માંગ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેના ચાર રસ્તા પર બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી નેતા બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ ઝઘડીયાના કેટલાક નાગરિકોએ આજે ઝઘડીયા મામલતદારને આવેદન પાઠવીને ઝઘડીયા ચોકડી ખાતે બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકાય તેવી રજુઆત કરી હતી. ઉપરાંત આવેદનની નકલ રાજ્યના મુખ્યમંત્રી, કલેક્ટર ભરુચ, સાંસદ ભરુચ, ધારાસભ્ય ઝઘડીયા તેમજ ઝઘડીયાના સરપંચને પણ મોકલીને આ બાબતે જરુરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

ProudOfGujarat

નડિયાદના મંજીપુરા-કમળા પાસે આવેલ ડમ્પીંગ સાઈટ પર લાખો ટન કચરો પ્રોસેસિંગ કરવાની કામગીરી શરૂ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!