Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વસ્તાન ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું.

Share

માંગરોળ તાલુકાના વસ્તાન ગામે જી આઈ પી સી એલ કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું.

વસ્તાન ગામના પશુપાલક મોતિયાભાઈ કાળીયાભાઈ વસાવાની માલિકીના બેથી ત્રણ વર્ષના વાછરડાને સીમમાં ચારો ચરાવવા માટે ગોવાળ લઈ ગયો હતો, આ સમયે કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ પશુપાલકે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લઈ પી.એમ કરવામાં આવ્યું હતું તેમજ પશુપાલકને નુકશાનીનું વળતર મળે એ માટેની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા એક ગાય એક વાછરડો તેમજ ચાર જેટલા બકરાનું દીપડાએ મારણ કર્યું હતું ત્યારે દિપડા દ્વારા થતા પશુઓના મારણને કાયમી ધોરણે રોકી આ સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનો કરી રહ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

પંચમહાલ : પાવાગઢ ડુંગર પર મિત્રો સાથે ફરવા ગયેલા ૨૦ વર્ષીય યુવાન ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચ : પાર્ક કરેલ વાહનોમાંથી બેટરી ઉઠાંતરી કરતા ત્રણ ઈસમોની પોલીસે કરી ધરપકડ, હજારોનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર ચાલકે મોપેડને અડફેટે લેતા દંપતીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!