Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતરત્ન લતા મંગેશકરનું નિધન થતા ભરૂચ કલેક્ટર કચેરી તેમજ રેલવે સ્ટેશન ખાતે અડધી કાઠીએ કરાયો રાષ્ટ્રધ્વજ.

Share

ભારત રત્ન કોકિલ કંઠી ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થતા સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો હતો. સરકાર દ્વારા બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી હતી.

ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરમાં રવિવારની સવારે મુંબઈ ખાતે નિધન થયું હતું. લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા હોવાથી 8 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં અને અહીંયા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોતાના ગીતોથી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર લતા મંગેશકરના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ સહિત રાજકીય, તેમજ ફિલ્મી હસ્તીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને લતાજીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો અને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.

Advertisement

લતામંગેશકરના નિધનના પગલે સરકાર દ્વારા બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવતા ભરૂચ કલેકટર કચેરી તેમજ રેલવે સ્ટેશન ખાતે પણ રાષ્ટ્રધ્વજ અડધી કાઠી એ કરવામાં આવ્યો હતો.


Share

Related posts

વેજલપુર બહુચરાજી મંદિરે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી, મહાઆરતીમાં જનમેદની ઉમટી

ProudOfGujarat

ઝઘડિયાના પાણેથા નજીક ખેતરમાંથી જિલ્લા એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લીધો.

ProudOfGujarat

અંકલેશ્વર – ભરૂચ પ્રગતિ મંડળની ચિંતન શિબિર જી.આઈ.ડી.સી અંકલેશ્વર ખાતે યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!