Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાનાં જાનકી આશ્રમે દીક્ષાંત સમારોહ તથા સંતસંમેલન યોજાયું.

Share

અખીલ ભારતીય સંત સમિતિ, નર્મદા પ્રેરીત હિંન્દુ ધર્મસેના, નર્મદાનો દીક્ષાંત સમારોહ તથા સંતસંમેલન દેડીયાપાડા ખાતે જાનકી આશ્રમે યોજાયો હતો. જેમા જીલ્લા અધ્યક્ષ પ.પુ. સીધ્ધેશ્વર સ્વામી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ ધર્મ સેના ગુજરાતનાં સંરક્ષક પુજનીય માધવપ્રીય સ્વામી તથા અરવીન્દભાઈ બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

આ કાર્યક્રમમાં દેડીયાપાડા તાલુકાની સંત સમિતી, સાગબારા તાલુકાની સંત સમિતી તથા દેડીયાપાડા, સાગબારા હિન્દુ ધર્મ સેનાની રચના કરવામાં આવી હતી. હિન્દુ ધર્મ સેનાનાં જીલ્લા પ્રમુખ તરીકે સોનજીભાઈ વસાવા(દેડીયાપાડા) ની નીમણુક કરવામાં આવી હતી તથા જીલ્લા મહામંત્રી તરીકે ધ્રુવ પ્રણવભાઈ પટેલ(રાજપીપળા) નીમણુક કરવામાં આવી. તદઉપરાંત ૨૦૦ ઉપરાંત હિન્દુ ધર્મ સેનાનાં યુવાનોને દીક્ષાંત કરી અને હિન્દુ ધર્મ સેનામાં સામેલ કરવામાં આવ્યા હતા.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં લઈ જવાતાં દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat

નડિયાદના દાવડા-દેગામની યુનીશન પોલીમર કંપનીમાં ભીષણ આગ લાગતાં દોડધામ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં બાકરોલ ગામે 30 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો : આપઘાતનું રહસ્ય અકબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!