Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા ગરીબ કલ્યાણ મેળામાં ૧૫ આરોગ્ય સેવા વાનોનું લોકાર્પણ.

Share

રાજ્યના આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વડોદરા શહેરી વિસ્તારમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણ માટે ૧૫ આરોગ્ય સેવા વાનો ફાળવી છે. મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે સાંસદ, મેયર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરીને મહાનગરપાલિકા આરોગ્ય તંત્રને સુપ્રત કરી હતી.

આ વાનો દ્વારા નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળ કિશોરોને ૪ડી પ્રમાણેની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં જન્મજાત ખામી, ઉણપ, રોગો અને વિલંબિત વિકાસને લગતી આરોગ્ય સેવાઓનો સમન્વય થાય છે.

Advertisement

આ વાનો સમયાંતરે શાળાઓ, બાળ મંદિરો, આંગણવાડી કેન્દ્રો ઇત્યાદિની મુલાકાત લેશે અને ઉપર જણાવ્યા અનુસાર ૪ડી વિષયક તપાસ કરશે, જરૂરી સારવાર આપશે અને યોગ્ય કિસ્સાઓમાં રેફરલ સારવારનું સંકલન કરશે. સારવારની તાકીદની જરૂર હોય તો સયાજી કે ગોત્રી જેવી હોસ્પિટલોમાં પીડિતોને લઈ જવાની વ્યવસ્થા કરશે. આ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.


Share

Related posts

આસ્થા અને પર્યાવરણનું આદર્શ સંતુલન એટલે પેપરમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ.

ProudOfGujarat

કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર: ધોરણ 12 કોમર્સમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીનીનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!