Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના નારેશ્વર ખાતે આવેલી રેતીની લીઝની મુલાકાત લેતાં મનસુખભાઈ વસાવા, પુનઃ રેતીની લીઝનો મુદ્દો ગરમાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક ગત ફેબ્રુઆરી માસની 22 તારીખના રોજ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં હજુ પણ લે રેતીની લીઝ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા ગુરૂવારના રોજ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ નારેશ્વર ખાતે પહોંચી રેતીની લીઝની મુલાકાત લીધી હતી. પુનઃ રેતીની લીઝનો મુદ્દો ગરમાયો છે. સાંસદ મનસુખભાઈ વસાવાની સાથે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ સહિત ભાજપ કાર્યકરો પણ જોડાયા હતા. રેતીની લીઝની મુલાકાત બાદ તેઓએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું.

ઘટનાના દિવસે મેં જોયું કે ૫૦ થી ૬૦ ડમ્પર ઉભા હતા તેના કરતા વધુ ડમ્પરો નદીના ભાઠામાં ઉભા હતા મામલતદાર સાથે મારી જે રકઝક થઈ તે આ જ મુદ્દો હતો કે રોયલ્ટી વિનાના ડમ્પરોનું પંચનામુ કરો અને તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરો તેમજ ખાણ ખનીજના ઉચ્ચ અધિકારીઓ પાસે મેં એવી માંગણી કરી હતી કે ઘણા સમયથી નદીના પટમાં લીઝ સિવાયની સરકારી જમીનમાંથી રેતી કાઢવામાં આવે છે. દરરોજ ૫૦, ૬૦, ૧૦૦ ટ્રકો રોયલ્ટી વિનાના જાય છે એનું સર્વે થવું જોઈએ જે પણ રેત માફિયા તેમજ બે નંબરની રેતીની ચોરી જાય છે એની સામે કાર્યવાહી થવી જોઈએ.

આજે 15 થી 20 દિવસ થયા છતાં હજુ કોઈ જવાબ મને મળ્યો નથી રાજકીય વગ ધરાવતા નેતાઓ પર ચોરી છુપીથી રેતી કાઢતા હોવાના મનસુખભાઈ વસાવાએ આક્ષેપ કર્યા હતા. બેરોજગારોને રોજગારી આપવાનું કામ રાજકીય નેતાઓ કરવું જોઈએ. એમ તેઓએ જણાવ્યું હતું. જે પગલાં લેવા જોઈએ તે લેવાયા નથી એમ પણ તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને કોઈ જવાબ નહીં મળે તો હું વહીવટીતંત્ર સામે આંદોલનનો માર્ગ અપનાવીશ. હવે જોવાનું એ રહ્યું કે નારેશ્વરના બહુચર્ચિત રેતીની લીઝ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પુનઃ ઉઠાવેલો મુદ્દો કેવો રંગ લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસની વધુ એક માનવતાની કામગીરી જોવા મળી.

ProudOfGujarat

હિન્દી વક્તૃત્વ સ્પર્ધા નવસારી હાઈ.નું ગૌરવ….

ProudOfGujarat

ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્થાન સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ લોકોને નોટબુક તથા શૈક્ષણિક કીટનું વિતરણ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!