Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની રંગેચંગે ઉજવણી કરાશે.

Share

નડિયાદ જવાહર નગર ઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવન ખાતે તારીખ 2 એપ્રિલના રોજ ચેટીચંદ પર્વ ઉજવાશે. આ દિવસે બપોરે બે કલાકે શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પર્વ નિમિતે બે દિવસ રાત્રે રંગારંગનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદના જવાહર નગર ઝુલેલાલ મંદિર રાધા સિંધુ ભવનમાં સિંધી સમાજ દ્વારા તા. ૨ ના રોજ  શનિવાર ના સવારે ૧૦:૦૦ કલાકે પૂજ્ય બહેરાણા સાહેબ તથા ઝૂલેલાલ ભગવાનના ભજન કિર્તન તથા ડાંડીયા રાસનો કાર્યક્રમ યોજાશે. બપોરે ૨:૦૦ કલાકે સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ટહેલ્યાણી  દ્વારા શોભાયાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. આ શોભાયાત્રા જવાહરનગર વિસ્તારમાં ફરશે અને સાંજે જવાહર નગર ઝુલેલાલ મંદિરે પરત આવશે. રાત્રે ૧૦:૦૦ કલાકે નટરાજ કલા મંદિર તથા અનિલ દેવનાણી ડાન્સ ગ્રુપ તરફથી રંગારંગ કાર્યક્રમ યોજાશે. તા. ૩ના રોજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતી થશે અને રાત્રે ૮:૦૦ વાગે ભંડારા( લંગર )પીરસવામાં આવશે. ૧૦:૩૦ કલાકે મનોરંજન કાર્યક્રમ તા. 4 ના રોજ રાત્રે નવજવાન યુવક મંડળ જવાહર નગર દ્વારા આ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સિંધી ભાઈઓ બહેનો લાભ લેશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ખ્રિસ્તી સમાજ પર થતા ખોટા આક્ષેપ અંગે રદિયો આપવા ખ્રિસ્તી સમાજે આવેદનપત્ર પાઠવ્યું…

ProudOfGujarat

અંકલેશ્વર નવજીવન હોટલ પાસે અકસ્માત – મોટરસાયકલ અને ઈકો ગાડી વચ્ચે ટક્કર, એકનું મોત, એક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરાયો.પૂર આવેલા વિસ્તારોમાં પાઉડર નો છંટકાવ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!