Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત.

Share

નર્મદા જિલ્લામા મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડાએ ખેડૂત માટે માર્ગદર્શન આપ્યું છે.

કેવીકે ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે કે આ રોગમાં પાન ઉપર પીળા રંગના અનિયમિત આકારના છૂટાછવાયા ટપકાં જોવા મળે છે. જે પાછળથી મોટા થઈને આખા પાનને પીળુ બનાવી દે છે. પાન કદમાં નાના અને જાડા થઈ જાય છે. નવી ફૂટતી કુંપળોનો ભાગ પીળો થઈ ગયેલો દેખાય છે. પાન ઉપર નાના પીળા ટપકાં પડે છે. અસર પામેલા છોડમાં ખૂબ જ ઓછા ફૂલ બેસે છે અને શિંગો તથા દાણાનું કદ નાનાં અને પીળા થાય છે. આ રોગને કારણે ૮૦ થી ૧૦૦ ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનો ફેલાવો સફેદ માખીથી થાય છે.નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ટ છોડનો વહેલી તકે ઉપાડીને નાશ કરવો, એસીટામીપ઼ાઈડ ૩ ગ઼ામ અથવા થાઈમીથોકઝામ ૩ ગ઼ામ પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી સફેદ માખીનું અસરકારક નિયંત્રણ મળશે એમ જણાવ્યું છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજકોટ મનપાની અદભુત કામગીરી : ૨૯૧ રખડતા પશુ પાંજરે પુરાયા, લોકોમાં હાશકારો

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. પી.આઇ. એસ.સી.તરડેને ગુજરાત રાજ્યનો ઇ-કોપ ઓફ ધી મન્થ એવોર્ડ તેમજ સાયબર સેલના પો. કોન્સ્ટે. મલ્કેશ ગોહિલને ગુજરાત રાજ્યનો સાયબર કોપ ઓફ ધી મન્થનો એવોર્ડ પ્રાપ્ત થયો.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, શું સત્તાધારી પક્ષ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!