Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત.

Share

નર્મદા જિલ્લામા મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડેડીયાપાડાએ ખેડૂત માટે માર્ગદર્શન આપ્યું છે.

કેવીકે ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે કે આ રોગમાં પાન ઉપર પીળા રંગના અનિયમિત આકારના છૂટાછવાયા ટપકાં જોવા મળે છે. જે પાછળથી મોટા થઈને આખા પાનને પીળુ બનાવી દે છે. પાન કદમાં નાના અને જાડા થઈ જાય છે. નવી ફૂટતી કુંપળોનો ભાગ પીળો થઈ ગયેલો દેખાય છે. પાન ઉપર નાના પીળા ટપકાં પડે છે. અસર પામેલા છોડમાં ખૂબ જ ઓછા ફૂલ બેસે છે અને શિંગો તથા દાણાનું કદ નાનાં અને પીળા થાય છે. આ રોગને કારણે ૮૦ થી ૧૦૦ ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનો ફેલાવો સફેદ માખીથી થાય છે.નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ટ છોડનો વહેલી તકે ઉપાડીને નાશ કરવો, એસીટામીપ઼ાઈડ ૩ ગ઼ામ અથવા થાઈમીથોકઝામ ૩ ગ઼ામ પૈકી કોઈપણ એક કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી સફેદ માખીનું અસરકારક નિયંત્રણ મળશે એમ જણાવ્યું છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વલસાડના મોગરાવાડી માનસીક બીમાર માતાની છ વર્ષની બાળકી સાથે શૌચાલયમાં બળાત્કાર લોકોએ લમધારીને નરાધમને પોલીસ હવાલે કર્યો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નેશનલ યુથ એવોર્ડ માટે નોમિનેશન નોંધાવા 15 થી 29 વર્ષનાં યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓ 26 મી જૂન સુધી અરજી કરી શકશે.

ProudOfGujarat

થામ નજીક બોલેરો પીકઅપની ટક્કરે યુવકનું મોત, બે મિત્રો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!