Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના પાણેથા અશા રોડ પર ફોરવ્હીલની અડફેટે ચાર ઇસમોને ઇજા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા અશા રોડ પર એક ફોરવ્હિલ ગાડીની અડફેટે ચાર જેટલા ઇસમો જખ્મી થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉમલ્લા દવાખાને લઇ જવાયા હતા.

મળતી વિગતો મુજબ ગતરોજ રાતના આઠ વાગ્યાના સમયે અશા પાણેથા માર્ગ પર કેટલાક રાહદારીઓને એક ફોર વ્હિલ ગાડીએ અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ગોવિંદભાઇ વણઝારા, મિતેષ વણઝારા, સરદાર દલાજી વણઝારા તેમજ જતીન વણઝારા નામના ઇસમોને શરીર પર ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકને માથાના ભાગે, કેટલાકને ખભાના ભાગે તેમજ હાથ પગ પર ફેકચર થતાં તેઓ જખ્મી થયા હતા. અકસ્માત બાદ ગાડીનો ચાલક તેનું વાહન ઘટના સ્થળે મુકીને નાશી છુટ્યો હતો. અકસ્માત બાબતે ગોવિંદભાઇ ભીખાભાઇ વણઝારા રહે.ગામ પાણેથા તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ ઉમલ્લા પોલીસમાં અકસ્માત કરી નાશી જનાર વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ પંથકમાં રવિવારે મોહર્રમ પર્વ ઉજવાશે: અવનવા તાજીયા આકર્ષણરૂપ સાબિત થશે

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસીમાં 11 માર્ચે ‘નમોત્સવ’નો ભવ્ય કાર્યક્રમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનપ્રસંગો ગીત-સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ થશે, 100 જેટલા કલાકારો આપશે રજૂઆત

ProudOfGujarat

પંચમહાલ જિલ્‍લાની હોટલો પેટ્રોલપંપો જેવા સ્‍થળોએ CCTV કેમેરા લગાવવા હુકમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!