Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાઇ.

Share

ગુરુવારે મહાવીર સ્વામીની 2620 મો જન્મકલ્યાણક મહોત્સવ ઉજવાયો છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8 વાગ્યે શહેરના મુખ્ય જૈન દેરાસર એવા અજીતનાથ જૈન દેરાસરથી વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળી હતી. જે કંથારીયા ચકલા, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર, ભાવસાર વાડ, સોની બજાર થઈને સમડી ચકલા થઈને પરત અજિતનાથ જૈન દેરાસરે આવી હતી. મુનિરાજ સાધુરત્ન વિ.મ.સા તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી હતી.આ શોભાયાત્રા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાષ્‍ટ્રીય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સારી કામગીરી કરેલ સુપરવાઇઝર તથા બીએલઓને સન્‍માનિત કરાયા : યુવા મતદારોનું સન્‍માન થયું

ProudOfGujarat

ભરૂચ : આમોદનાં સરભાણથી માતર જવાના રસ્તા પરથી ખાડીમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી.

ProudOfGujarat

રાજપીપલાની ગ્રામીણ બેંકના રૂમમાં યુવાન પંખે લટક્યો,હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!