Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી કરાઇ.

Share

ગુરુવારે મહાવીર સ્વામીની 2620 મો જન્મકલ્યાણક મહોત્સવ ઉજવાયો છે. નડિયાદમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા આ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સવારે 8 વાગ્યે શહેરના મુખ્ય જૈન દેરાસર એવા અજીતનાથ જૈન દેરાસરથી વાજતે ગાજતે આ શોભાયાત્રા નીકળી હતી. જે કંથારીયા ચકલા, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર, ભાવસાર વાડ, સોની બજાર થઈને સમડી ચકલા થઈને પરત અજિતનાથ જૈન દેરાસરે આવી હતી. મુનિરાજ સાધુરત્ન વિ.મ.સા તથા સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર ફરી હતી.આ શોભાયાત્રા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ શોભાયાત્રામાં હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયાનાં સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે જાનકી નવમી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ક્વીન્સ લાયન્સ કલબ દ્વારા ફંડ રાઇઝીંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત : પીસીઆર વાનમાં ત્રાહિત વ્યક્તિએ ફિલ્મી સોંગ પર ડ્રાઇવિંગ કરી બનાવ્યો વિડીયો, જાણો પછી થયું શું..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!