Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં મંજીપુરા રોડ પરની સોસાયટીના મકાનમાં આગ લાગતાં દોડધામ.

Share

નડિયાદ મંજીપુરા રોડ ઉપર આવેલા શ્યામ સુંદર રેસીડન્સીના મકાનમા આગ લાગતા મકાનમા રહેલા ટી.વી પંખા કબાટ અને સોફા સેટ વિવિધ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ સોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મકાનમા ભાડે રહેતા ચંદ્રેશ કેશવાણી તેમના પરિવાર સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા ને મકાનમા આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગને ઓલવવા આજુબાજુ લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી પણ હજારો રૂપિયાનુ નુકસાન થયુ હોય તેમ જણાય છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નેત્રંગ ટાઉનમાંથી પસાર થતી અમરાવતી નદી સુકી બનતા પ્રજા હેરાન પરેશાન…

ProudOfGujarat

માંગરોળ તાલુકા વાંકલ ખાતે એક વાંદરો વિજડીપી ના તાર સાથે ચોંટી જતા સ્થળ પર મૃત્યુ પામ્યો.

ProudOfGujarat

ભરૂચ-વિરોધ કરનારા લોકો પર થઇ પોલીસ ફરિયાદ-પાલિકા પ્રમુખ જ પોતાના વોર્ડ માં અસલામત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!