Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદમાં મંજીપુરા રોડ પરની સોસાયટીના મકાનમાં આગ લાગતાં દોડધામ.

Share

નડિયાદ મંજીપુરા રોડ ઉપર આવેલા શ્યામ સુંદર રેસીડન્સીના મકાનમા આગ લાગતા મકાનમા રહેલા ટી.વી પંખા કબાટ અને સોફા સેટ વિવિધ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ સોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મકાનમા ભાડે રહેતા ચંદ્રેશ કેશવાણી તેમના પરિવાર સાથે કામ અર્થે બહાર નીકળ્યા હતા ને મકાનમા આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગને ઓલવવા આજુબાજુ લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરતા ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી પણ હજારો રૂપિયાનુ નુકસાન થયુ હોય તેમ જણાય છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડીમાં આજથી લોકડાઉન થતાં વહેલી સવારથી લીંબડી સજ્જડ બંધ જોવા મળ્યું હતું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં રાજપીપલામાં ૨૫ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા.

ProudOfGujarat

અંકલેશ્વર : ભાથીજી યુવક મંડળનાં યુવકો પગપાળા યાત્રાએ જવા રવાના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!