Proud of Gujarat
FeaturedGujaratINDIA

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અન્વયે થઇ રહેલ કામોનું નિરીક્ષણ કરતા અધિક સચિવ કાનાણી.

Share

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બનનાર ૭૫ અમૃત સરોવર માટે ગાંધીનગરથી સિંચાઇ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ કાનાણી, નડિયાદના મહિસિંચાઇ વર્તુળના ચૌહાણ, નિરવભાઇ તેમજ સિંચાઇ વિભાગના અન્ય ઇજનેરોએ ખેડા જિલ્લાના ઉતરસંડા, હેરંજ અને વડતાલના તળાવોની તાજેતરમા મુલાકાત લઇ કામગીરીનું નીરક્ષણ કર્યું હતું. તેઓ એ તળાવો ઉંડા કરવા તેમજ અન્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું. સુજલામ સુફલામ યોજના અન્વયે જિલ્લામાં ૭૫ તળાવો ઉંડા કરવાનું કામ ચાલી રહ્યું છે સુજલામ સુફલામ યોજના અન્વયે તળાવો ભરાવાથી જિલ્લામાં પાણીનું સ્તર ઉંચુ આવશે આઝાદીકા અમૃત મહોત્સવ અન્વયે ખેડા જિલ્લાના દરેક તાલુકાઓમાં અમૃત સરોવર અન્વયે તળાવો ઉંડા કરવાની કામગીરી સત્વરે પુરી કરવામાં આવનાર છે. આ કામોની મંજૂરી પણ આપવામાં આવી છે. કામ લોક ભાગીદારીથી થઇ રહ્યા છે. આ કામગીરી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી ચાલનાર છે તેમ સિંચાઇ વિભાગના ઇજનેર અમીનએ જણાવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

“આદિ કર્મયોગી અભિયાન – રિસ્પોન્સિવ ગવર્નન્સ પ્રોગ્રામ” શુભારંભ અંર્તગત આદીવાસી સમૃ્દ્વિ અને સાંસ્કૃતિક વારસાના જતન માટે વિવિધ પ્રકારની કામગીરી હાથ ધરાશે

ProudOfGujarat

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીની તૈયારી 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!