Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : નંદેસરીની ઓરિએન્ટલ કંપનીમાં મોરના મૃત્યુ મામલે પી.એમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે.

Share

વડોદરાના નંદેસરી ખાતે આવેલી ઓરિએન્ટલ કંપનીમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ નીપજયું છે. મોરના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ કુતરાએ મોરને પકડ્યું હોવાનું જણાઇ આવી રહ્યું છે. જોકે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ બાદ કંપની ખાતે જ તેની સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવામાં આવી હતી.

સમગ્ર મામલાની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણ રાજપૂતને જાગૃત નાગરિકે કરતા સામાજીક વનીકરણ વિભાગ વડોદરાની ટીમ કંપની ખાતે પહોંચી હતી. કંપની ખાતેથી સામાજિક વનીકરણ વિભાગની ટીમે મોરના મૃતદેહને કબ્જે લઇ તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે મીડિયા સમક્ષ સામાજીક વનીકરણ વિભાગ વડોદરાના રેંજ ઓફિસર કરણ રાજપૂતે વધુ વિગત આપી હતી અને સાથે જ જો પી.એમ માં મોરનો શિકાર કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવશે તો નિયમોને આધીન કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે ભરૂચના સાંસદે જનજાતિય આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો

ProudOfGujarat

અંકલેશ્વરનાં સારંગપુર ગામની સીમમાં ઝાડીમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

નવરંગ બિટ્સ ગ્રુપ દ્વારા નડિયાદના ગરબા પ્રેમી યુવક યુવતીઓ માટે “નવરંગ નવરાત્રી મહોત્સવ” ઉજવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!