Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલીમાં વિશ્વ મહાસાગર દિવસ 2022ની ઉજવણી કરાઈ.

Share

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી નાની નરોલી ખાતે આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહાસાગર દિવસ 2022 ની ઉજવણી કરવામાં આવી હતી. પુનરુત્થાન: મહાસાગર માટે સામૂહિક ક્રિયા થીમ અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને મહાસાગરોનું જતન કરી આપણી ભવિષ્યની પેઢીને ઉજાગર કરવાનો હતો. મહાસાગર આ એક એવો શબ્દ છે, જેની ચિંતા દુનિયાભરના લોકોને કરવી જોઈએ. આપણે જાણીએ છીએ કે જીવન માટે પર્યાવરણ અને પાણીનાં સ્રોતની જાળવણી પણ એટલી જ અગત્યની છે. આજની પેઢીમાં આપણે જાણીએ છીએ કે ફેક્ટરી, શહેરો વગેરેનો કચરો મહાસાગરો અને નદીઓમાં ઠાલવવામાં આવે છે આ વસ્તુને રોકીને આપણે પાણીના પ્રદૂષણની સાથે સાથે હરિયાળીને પણ બચાવવાની છે. આ હેતુના અનુસંધાનમાં વિશેષ પ્રાર્થના સભામાં પ્રણ લેવામાં આવ્યો કે આપણે “મહાસાગરોનું જતન કરીશું

Advertisement

ઐતિહાસિક રીતે, ચાર નામના મહાસાગરો છે: એટલાન્ટિક, પેસિફિક, હિંદ અને આર્કટિક, જેના વિશે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી, અને મહાસાગરોના વિનાશ અને પ્રદૂષિત થતાં અટકાવાવા માટે સૂત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અમદાવાદ જીલ્લાનાં વિવિધ ગામોમાં મેલેરીયા શાખા દ્વારા સેનીટાઇઝેશન કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

સુરતમાં ભીલીસ્તાન ટાઇગર સેનાએ મોડાસા દુષ્કર્મ મામલે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી.

ProudOfGujarat

ઝઘડિયાનાં ગોવાલી ગામે ઘરનાં વાડામાંથી સિંચાઇનાં સાધનો ચોરાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!