Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના સતવારા સમાજના આગેવાનો એ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

Share

લીંબડી તાલુકાના સતવારા સમાજના આગેવાનો દ્વારા એક સતવારા સમાજના યુવાનને બરવાળાના પી.એસ.આઈ એન.જી.રબારીએ માર માર્યોના આક્ષેપ સાથેનું લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિહ સોલંકીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મળતી માહિતી મુજબ બરવાળામાં કેશવનગરમાં રહેતા પ્રવિણભાઈ ભરતભાઈ પરમાર જેઓનું રહેણાંકનું મકાન કેશવનગરમાં છે. ધોળા દિવસે રોકડ રકમ અને દાગીનાની ચોરી થઈ હતી ત્યારે પ્રવિણભાઇ ચોરી થયાની જાણ થતા તેઓ બરવાળા પોલીસ સ્ટેશને ચોરીની ફરીયાદ લખાવવા ગયેલ હતા ત્યારે 10 દિવસ બાદ નિવેદન લેવા પ્રવિણભાઇને પોલીસ સ્ટેશન બોલાવાયા હતા અને ફરીયાદ પાછી લેવા પ્રવિણભાઇને દબાણ કરવામાં આવ્યું હતું અને ફરીયાદ પાછી લેવાની ના પાડતા પી.એસ.આઈને ગુસ્સો આવતા ફરીયાદી પ્રવિણભાઈને ઢોર માર મારવામાં આવેલ હોવાનો આ આવેદનપત્રમા આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ પ્રવિણભાઇને ન્યાય મળે તે માટે દલવાડી સમાજ દ્વારા આવેદનપત્રમા માંગણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સાહેબ

Advertisement

Share

Related posts

અમદાવાદ સહીત રાજ્યભરમાં વરસાદી માહોલ  વહેલી સવાર થી પવનો સાથે વરસાદી ઝાપટા વિવિધ વિસ્તારમાં…

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય.

ProudOfGujarat

મધ્ય પ્રદેશ રાજ્યની ગેંગ ઝડપાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!