Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : ગુમાનદેવ રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ મી થી તા.૧૨ મી સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપિપલા રેલવે લાઇન પર ગુમાનદેવ નજીક નાના સાંજા ત્રણ રસ્તા પાસેની રેલવે ફાટક રિપેરિંગ કામ માટે તા.૧૦ ડિસેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી સદંતર બંધ રાખવામાં આવનાર છે. પશ્ચિમ રેલવેની એક યાદીમાં જણાવાયા મુજબ આ રેલવે ફાટક નં.૧૭ પર મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી ઉપરોક્ત ત્રણ દિવસ સુધી આવતા જતા તમામ વાહનો માટે આ રેલવે ફાટક બંધ રહેશે. વધુમાં જણાવાયા અનુસાર આ ત્રણ દિવસો દરમિયાન અંકલેશ્વર ભરૂચ તરફથી ઝઘડિયા તરફ આવવાવાળા વાહનો દઢાલ નજીકથી તેમજ બોરોસિલ કંપની નજીકથી ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના રસ્તા પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ઝઘડિયાથી જવાવાળા વાહનોએ પણ ઝઘડિયાની વાલિયા ચોકડીથી જીઆઇડીસી વિસ્તારમાં થઇને જવાનું રહેશે. આ અંગે રેલવે વિભાગ દ્વારા ભરૂચ જીલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ : હાલોલનાં ગોકળપુરા ગામે કોવિડમાં અવસાન પામેલાના પરિવારજનોની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત.

ProudOfGujarat

અંકલેશ્વર માં બોર્ડ ની પરીક્ષા આપવા ગયેલ મુસ્લિમ વિધાર્થીની નો બુરખો અને ઓઢની પ્રિન્સિપાલ દ્વારા ખેંચી લેવાતા વિવાદ

ProudOfGujarat

ગુજરાત સરકાર તરફથી સહાય ન મળતા ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!