Proud of Gujarat
FeaturedGujaratINDIA

દુર્ગંધે ભારે કરી : ભરૂચ નગરપાલિકા વિસ્તારોમાં અનેક મૃત જાનવરો છતાં તંત્ર ઉઠાવવા જતું નથી, જુઓ શું છે કારણ.

Share

ભરૂચ નગરપાલિકાના કાર્યવિસ્તારમાં આમેય વરસાદી પાણીના ભરાવાના કારણે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજય જોવા મળે છે તેમાં મૃત જાનવરોના નિકાલના અભાવે પ્રજા કોઈ મોટી બીમારીનો ભોગ બને તો નવાઈ નહીં. નગરપાલિકામાં આજદિન સુધી 50 થી વધુ ફરિયાદો મૃત જાનવરો સંદર્ભે મળી છે છતાં તેનો નિકાલ થતો નથી. અમુક સ્થળે મૃત જાનવરો ભરેલી ગાડીઓ પડી રહે છે તો બીજી બાજુ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મૃત જાનવારોના નિકાલની ફરિયાદો આવી રહી છે. મૃત જાનવરોની દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. સફાઈ ખાતાના ચેરમેન આ દિશામાં નક્કર પગલાં ભરે તે જનહિતમાં ઇચ્છનીય છે.

Advertisement

Share

Related posts

આગામી ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

શહેરા : વલ્લભપુર ગામે આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગની કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!