Proud of Gujarat
FeaturedGujaratINDIA

દુર્ગંધે ભારે કરી : ભરૂચ નગરપાલિકા વિસ્તારોમાં અનેક મૃત જાનવરો છતાં તંત્ર ઉઠાવવા જતું નથી, જુઓ શું છે કારણ.

Share

ભરૂચ નગરપાલિકાના કાર્યવિસ્તારમાં આમેય વરસાદી પાણીના ભરાવાના કારણે કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજય જોવા મળે છે તેમાં મૃત જાનવરોના નિકાલના અભાવે પ્રજા કોઈ મોટી બીમારીનો ભોગ બને તો નવાઈ નહીં. નગરપાલિકામાં આજદિન સુધી 50 થી વધુ ફરિયાદો મૃત જાનવરો સંદર્ભે મળી છે છતાં તેનો નિકાલ થતો નથી. અમુક સ્થળે મૃત જાનવરો ભરેલી ગાડીઓ પડી રહે છે તો બીજી બાજુ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી મૃત જાનવારોના નિકાલની ફરિયાદો આવી રહી છે. મૃત જાનવરોની દુર્ગંધથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે. સફાઈ ખાતાના ચેરમેન આ દિશામાં નક્કર પગલાં ભરે તે જનહિતમાં ઇચ્છનીય છે.

Advertisement

Share

Related posts

આણંદ : વિવાહ પાર્ટી પ્લોટમાં ધાર્મિક કાર્યક્રમના નામે હાઈપ્રોફાઈલ ગરબાનું આયોજન: કિંજલ પણ વિવાદમાં

ProudOfGujarat

ભરૂચ શહેરનાં વોર્ડ નં.-8 માં જરૂરિયાતમંદ લોકોને ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન દ્વારા અનાજકિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી પોલીસે લાખોની મત્તાનો જુગારનો કેસ શોધી કાઢયો : પાંચની ધરપકડ : બે ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!