Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં વોર્ડ નં.-8 માં જરૂરિયાતમંદ લોકોને ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન દ્વારા અનાજકિટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

હાલ લોક ડાઉનનો ત્રીજો તબકકો શરૂ થઈ ગયો છે વધુ 14 દિવસ લોકોને ઘરમાં જ બેસી રહેવા મજબુર થવું પડશે. કામ ધંધા નથી ત્યારે ઘરમાં રહીને જીવન જીવવાનું મુશ્કેલ બનશે તેવી પરિસ્થિતી ઊભી થઈ હતી. જયારે લોકોને મદદ કરવા હંમેશા તત્પર રહેતાં ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન સંદીપ માંગરોલા દ્વારા આજે ભરૂચ શહેરનાં આલી ડીગીવાડનાં માતરીયા તળાવ વિસ્તારનાં ખરી ફળિયામાં જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શહેરનાં અનેકો વિસ્તારમાં મફત સેનેટાઈઝર પણ છંટકાવ કરવામાં આવ્યું છે. જયારે આજે ગરીબોને અનાજ વિતરણ કરી માનવ સેવાનો ધર્મ નિભાવ્યો છે આ પ્રસંગે યુવા અગ્રણી ધીરેન કટારીયા પણ સાથે રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાનાં ગોધરા શહેરમાં કોરોનાનો 1 પોઝિટીવ કેસ મળતા તંત્ર દ્વારા સઘન પગલાં લેવાયા.

ProudOfGujarat

બીલીમોરા માં રેલવે દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું

ProudOfGujarat

ડેડીયાપાડા પોલીસ કર્મચારીઓની માંગણીઓ અંગે BTTS અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાશે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!