Proud of Gujarat
FeaturedGujaratINDIA

આણંદ : વિવાહ પાર્ટી પ્લોટમાં ધાર્મિક કાર્યક્રમના નામે હાઈપ્રોફાઈલ ગરબાનું આયોજન: કિંજલ પણ વિવાદમાં

Share

કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિ ઉજવવાની છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. ત્યારે આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા નીતિ નિયમોને નેવે મુકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સરકાર દ્વારા કોમર્શિયલ ગરબાનું આયોજન કરવાની છૂટછાટ આપવામાં આવી નથી. એવામાં કરમસદના વિવાહ પાર્ટી પ્લોટમાં સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસની હાજરીમાં લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ પણ આ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આ ગરબા કાર્યક્રમમાં ગુજરાતી સિંગર કિંજલ દવે પણ ઉપસ્થિત રહી હતી. રસપ્રદ બાબત તો એ છે કે સમગ્ર ગરબામાં કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હતું. જે અંગેની માહિતીના આધારે વિદ્યાનગર પોલીસ ત્રાટકી હતી અને ગરબા બંધ કરાવ્યા હતા.રસપ્રદ બાબત તો એ છે કે, ઉત્સવ ઉજવણીના અતિરેકમાં જે પરમીશન લેવાઈ હતી તેમાં નિ:શુલ્ક પ્રવેશની વાત કરાઈ હતી. જોકે, આમ છતાં પાસ આપવામાં આવ્યા હતા તેમાં રૂપિયા એક હજાર એન્ટ્રી ફી વસૂલાઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનું વાયુ પ્રદૂષણ પહોંચ્યું રેડ ઝોનમાં કેવી રીતે ?

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ૧૦૮ ઇમરજન્સીનાં મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસમાં પણ ફરજ બજાવવા કટિબદ્ધ પોતાના કાર્ય સ્થળે જ સમય મળયે નમાજ અદા કરે છે.

ProudOfGujarat

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!