Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભીડ જામી.

Share

આવતીકાલે અમાસ હોઇ, દશામાનું વ્રત શરૂ થઇ રહ્યુ છે તેને લઇને આજે ઝઘડિયા તાલુકાના ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા નગરોમાં દશામાની પ્રતિમા ખરીદવા ભારે ભીડ જામી હતી. સવારથી જ ગામડેથી આવેલા શ્રધ્ધાળુઓ પોતાના વાહનો જેવા કે ટેમ્પો, રીક્ષા, મોટરસાયકલ પર દશામાની મૂર્તિઓ લઈ જતા નજરે પડતા હતા. આજે મૂર્તિઓ ખરીદી ઘરે લઈ ગયા પછી ગુરૂવાર અમાસે દશામાંની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરવામાં આવશે અને દશ દિવસ સુધી દશામાના વ્રતની ઉજવણી કરાશે. ઝઘડિયાના મુખ્ય બજાર ખાતે આજે મોટી સંખ્યામાં મૂર્તિઓની ખરીદી થતી નજરે પડી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અમદાવાદ : એચ. એ. કોલેજ માં વિશ્વ સાક્ષરતા દિવસનું સેલીબ્રેશન કરાયું.

ProudOfGujarat

આવતીકાલે યોજાનાર ચૂંટણી અંગેની મહત્વની બાબતો.જાણો સાથે રાખવાના ઓળખપત્ર વિશે…

ProudOfGujarat

અંકલેશ્વરનાં રામકુંડ મંદિર ખાતે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!