Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા શાળાના 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ દ્વારા ભારત દેશનો નકશો બનાવાયો.

Share

હાલ દેશભરમા આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા અભિયાન કાર્યક્રમમા શાળા કોલેજોમા પણ દેશભક્તિનો માહોલ રચાયો છે. જેમાં એન બારોટ વિદ્યાલય ડેડીયાપાડા પણ જોડાઈ છે.

ડેડીયાપાડા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે માનવ સાકળ રચી ભારત દેશનો નકશો અને રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય વાય પી ભલાણીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો આરીફ સૈયદ, મતીન કુરેશી અને વસાવા નિલેશભાઈ દ્વારા તથા દેવાંગ વસાવા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ 12 ના 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાકળ રચી દેશના નકશાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીએ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને આઝાદી આમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…

ProudOfGujarat

હાલોલ નગરમાં આવેલા સનએન્કલેવ કોમ્પ્લેક્ષમાં આવેલ એક દુકાનમાં ગેરકાયદેસર રેલ્વે ટિકિટ કાઢવાનું કૌભાડ ઝડપાયું

ProudOfGujarat

-ભરૂચ ના વાતાવરણ માં આજ રોજ સવાર થી ઠંડક પ્રસરી હતી..છુટા છવાયા વાદરો વચ્ચે સૂર્ય નારાયણ ઘેરાઈ જતા વાતાવરણ પલ્ટાયું હતું…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!