Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ તલવારબાજી કરીને ભૂચર મોરી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

Share

વડોદરા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આ વર્ષે ભૂચર મોરી શહીદ સ્મારક ધ્રોલ ખાતે આયોજીત તલવારબાજી વિશ્વ રેકોર્ડમાં 5000 યુવાનોને ક્ષાત્રધર્મ નિભાવવા માટે જોડાનાર છે.

જે અંતર્ગત વડોદરા જીલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા 390 યુવાનોને જોડવામાં આવ્યા છે. જે વિશેની માહિતી આપતા અખિલ 5000 ગુજરાત રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, મહિનાના પ્રત્યેક શનિવાર અને રવિવારના રોજ રાજપૂત સમાજના દિકરા અને દિકરીઓને હું અને મારા પત્ની નિર્મળ કુવરબા વિનામૂલ્યે તલવારબાજીની તાલીમ આપીએ છીએ. આ વર્ષે 18 ઓગસ્ટે ભારતના 5000 રાજપૂત યુવાનો તલવારબાજી કરીને ભૂચર મોરી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરની પણ તમામ કોલેજો આજે એનએસયુઆઇ દ્વારા બંધ કરવામાં આવી હતી.

ProudOfGujarat

રાજકોટ જિલ્લામાં આધુનિક આંગણવાડીનું લોકાર્પણ : કિચન ગાર્ડન, રમત ગમતના સાધનો સહિત અનેક અનેરું આકર્ષણ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો, કોઈ નુકસાન નહીં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!