Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટી અને આવક, જાવકમાં થયો ઘટાડો.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: ઘટાડો થયો છે. આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. આજે ડેમમાં પાણીની આવક 4,83,237 ક્યુસેક નોંધાઈ છે.

હાલ ડેમના 23 દરવાજા 2.45 મીટર ખોલી નાખવામાં આવ્યા છે. હાલ 4,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જયારે રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,921 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.

Advertisement

પાણીની આવક 4,83,237 ક્યુસેક સામે નદીમાં કુલ જાવક 4,94,921 ક્યુસેક નોંધાઈ છે. હાલ કેનાલમાં 18,436 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં કુલ જાવક – 5,13,357 ક્યુસેક નોંધાઈ છે. હાલ પાણીની સપાટી અને આવક,જાવક બન્નેમાં ઘટાડો નોંધાયો છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અમદાવાદ : અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડતાં કાચ ફરતેની જગ્યા કોર્ડન કરાઈ

ProudOfGujarat

સાંસદની ઉપસ્થિતિ માં ડેડીયાપાડા ખાતે નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું.

ProudOfGujarat

અમદાવાદ વસ્ત્રાપુરમાંથી ડ્રગ્સના પેડલર્સની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ, ઓનલાઈન 13 કરોડનો કર્યો બિઝનેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!