Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટી અને આવક, જાવકમાં થયો ઘટાડો.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: ઘટાડો થયો છે. આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. આજે ડેમમાં પાણીની આવક 4,83,237 ક્યુસેક નોંધાઈ છે.

હાલ ડેમના 23 દરવાજા 2.45 મીટર ખોલી નાખવામાં આવ્યા છે. હાલ 4,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જયારે રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,921 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.

Advertisement

પાણીની આવક 4,83,237 ક્યુસેક સામે નદીમાં કુલ જાવક 4,94,921 ક્યુસેક નોંધાઈ છે. હાલ કેનાલમાં 18,436 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં કુલ જાવક – 5,13,357 ક્યુસેક નોંધાઈ છે. હાલ પાણીની સપાટી અને આવક,જાવક બન્નેમાં ઘટાડો નોંધાયો છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો

ProudOfGujarat

દહેજના અદાણી એન્ટરપ્રાઇઝ લિમિ. થી કોલસો ભરી નીકળેલ ડમ્પરના ડ્રાઇવરોએ લાખોનો કોલસો સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ કોરોનાને હરાવી 6 વર્ષીય બાળક ઘરે પરત ફર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!