Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટી અને આવક, જાવકમાં થયો ઘટાડો.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: ઘટાડો થયો છે. આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. આજે ડેમમાં પાણીની આવક 4,83,237 ક્યુસેક નોંધાઈ છે.

હાલ ડેમના 23 દરવાજા 2.45 મીટર ખોલી નાખવામાં આવ્યા છે. હાલ 4,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જયારે રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,921 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.

Advertisement

પાણીની આવક 4,83,237 ક્યુસેક સામે નદીમાં કુલ જાવક 4,94,921 ક્યુસેક નોંધાઈ છે. હાલ કેનાલમાં 18,436 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં કુલ જાવક – 5,13,357 ક્યુસેક નોંધાઈ છે. હાલ પાણીની સપાટી અને આવક,જાવક બન્નેમાં ઘટાડો નોંધાયો છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

જામનગરમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સોનાની ખરીદી અને વેચાણ કરનારાઓ માટે મહત્વના સમાચાર, સરકારે નવા નિયમો લાગુ કર્યા. જાણો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ યથાવત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!